પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાસનના જુદા જુદા ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા માટે દરેક સચિવોને પ્રોત્સાહિત કરવાના અનુરૂપ સચિવોના બે સમૂહે પોતાના વિચાર અને મંતવ્યો પ્રધાનમંત્રીને રજૂ કર્યા. આ વિચાર અને મંતવ્યો ‘પ્રગતિશિલ બજેટ અને અસરકારક અમલીકરણ ’ અને ‘સ્વચ્છ ભારત તથા ગંગા પુનરોદ્ધાર’થી જોડાયેલા છે.
આ પ્રસંગે પર કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહ, શ્રી અરુણ જેટલી, શ્રીમતી સુષમા સ્વરાજ, શ્રી નિતિન ગડકરી, શ્રી મનોહર પારિકર તથા ભારત સરકારના બધા જ સચિવ હાજર રહ્યા હતા. પ્રસ્તુતિકરણ દરમિયાન અને ત્યારબાદ પ્રધાનમંત્રી અને કેટલાક કેન્દ્રીય અન્ય મંત્રીઓએ પ્રસ્તુતિકરણથી સંબંધિત પ્રશ્ન પૂછ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.
આ પહેલા ૧૨ જાન્યુઆરીએ સચિવોના પહેલા સમૂહે “ઊર્જા સંરક્ષણ અને દક્ષતા” વિષય પર પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
UM/AP/J.KHUNT/GP
Two groups of secretaries presented their ideas today. The first group focussed on Innovative Budgeting and Effective Implementation.
— Narendra Modi (@narendramodi) January 15, 2016
The second group of secretaries talked about SwachhBharat and Ganga Rejuvenation, core focus areas for our Govt. https://t.co/zYGQH7f2JK
— NarendraModi(@narendramodi) January 15, 2016