પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મંત્રીમંડળે આજે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલિનીકરણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેમાં બેંક ઑફ બરોડા ટ્રાન્સફરી (જેને નામે મિલકત તબદીલ કરવામાં આવી હોય) બેંક રહેશે. જ્યારે દેના બેંક અને વિજયા બેંક ટ્રાન્સફરર (મિલકતની તબદીલી કરનાર) બેંક રહેશે. આ વિલિનીકરણ ભારતનું સૌથી પહેલું ત્રિપક્ષીય જોડાણ છે અને જોડાણ વડે ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેંક આકાર પામશે.
આ જોડાણ વડે વૈશ્વિક સ્તરે મજબૂત સ્પર્ધાત્મક બેંકની રચના થશે, જેને કદના વ્યાપનો લાભ મળશે અને વિવિધ પ્રકારના આંતરિક સમન્વયનો પણ લાભ મળશે. નેટવર્ક, ઓછા ખર્ચે થાપણો અને ત્રણ બેંકોની પેટા કંપનીઓના જોડાણથી નોંધપાત્ર એકરૂપતાને કારણે જોડાણ થયેલી સંસ્થાના ગ્રાહકોના વ્યાપ, બજારની પહોંચ, કામગીરીની કાર્યક્ષમતા, વિવિધ ઉત્પાદનો અને સેવાઓના સમૂહ તથા ગ્રાહકોને વધુ સારી વ્યવસ્થામાં વધારા ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં એકરૂપતા પ્રાપ્ત થશે.
વિલિનીકરણના મહત્વના મુદ્દાઃ
વિલિનીકરણ પછી સંસ્થાની શક્તિઃ
RP