Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી; આંધ્રપ્રદેશના લોકોને પણ શુભકામનાઓ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લોકોને પણ શુભાકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “તેલંગાણાના સ્થાપના દિવસ નિમિત્તે હું આ અદભુત રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવું છુ. તેલંગાણાના લોકો કઠોર પરિશ્રમ માટે જાણીતા છે, જે દેશના વિકાસમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. હું તેલંગાણાની પ્રગતિ માટે પ્રાર્થના કરું છુ.

આંધ્રપ્રદેશની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. વિજ્ઞાનથી માંડીને રમત-ગમત, શિક્ષણથી માંડીને ઉદ્યોગસાહસિકતા સુધીના ક્ષેત્રોમાં આંધ્રપ્રદેશનું ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. હું કામના કરું છુ કે આવનારા વર્ષોમાં આ રાજ્ય વધુ સમૃદ્ધ બને.”

RP