Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી


ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શૌકત મિર્ઝીયોયેવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી.

રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવે ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી અને ભારતના લોકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ અને વધાઈ પાઠવી હતી.

બંને નેતાઓએ વેપાર, કનેક્ટિવિટી, આરોગ્ય, ટેકનોલોજી અને લોકો-થી-લોકોના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત, બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને ભારત અને મધ્ય એશિયા વચ્ચેના સદીઓ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓ પરસ્પર સંપર્કો જાળવવા સંમત થયા હતા.

SM/IJ/GP/JD