પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની માલિકીની રાજા મૂર્તિ એરપોર્ટ ખાતે આવેલી 10.25 એકર જમીન આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા એટલા જ જથ્થામાં ઓફર કરાયેલી જમીન સામે તબદીલ (swapping) કરવા માટે મંજૂરી આપી છે. આ દરખાસ્તનો ઉદ્દેશ રાજા મૂર્તિ એરપોર્ટની આસપાસનાં ગામોને રોડ દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે, કે જેથી સામાન્ય જનતાના આ વિસ્તાર સાથેના સંપર્કમાં આસાની ઉભી થઈ શકે.
આ દરખાસ્તથી માર્ગ કનેક્ટિવિટી મળશે અને એ રીતે સામાન્ય જનતાને આ વિસ્તાર સાથે સંપર્કમાં સુગમતા થશે અને ખાસ કરીને ખેડૂતોની ખેતીની જમીનને આ સુવિધાથી સંપર્ક પ્રાપ્ત થશે.
NP/J.Khunt