Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓડિશા અને પંજાબમાં રસ્તાઓના પ્રોજેક્ટોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીને પગલે માળખાકીય સવલતો અને કનેક્ટિવિટી વધશે : પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “આર્થિક બાબતો અંગેના કેન્દ્રીય મંત્રીમંડળ (સીસીઈએ) દ્વારા ઓડિશા અને પંજાબમાં રસ્તાઓના પ્રોજેક્ટોને મંજૂરી અપાઈ હોવાથી આ રાજ્યોમાં માળખાકીય સવલતો અને કનેક્ટિવિટી સુધારવામાં મદદ મળશે. શ્રેણીબદ્ધ ટ્વિટ દ્વારા તેમણે જણાવ્યું હતું કે,

“સીસીઈએએ પંજાબમાં એનએચ – 344એના ફગવાડા-રુપનગર સેક્શનને વિકસાવીને ચાર લેન કરવા માટે મંજૂરી આપી છે.

અંદાજિત ખર્ચ રૂ. 1444.42 કરોડ થશે અને વિકસાવવામાં આવી રહેલા રસ્તાની કુલ લંબાઈ આશરે 80.820 કિલોમીટર થશે.

આ પ્રોજેક્ટને પગલે પંજાબમાં માળખાકીય સવલતો સુધરશે અને રાજ્યમાં આ ક્ષેત્રની સામાજિક – આર્થિક સ્થિતિ સુધારવામાં મદદગાર બનશે.

સીસીઈએએ ઓડિશામાં એનએચ – 42 (નવો એનએચ-55)ના અંગુલ-સંબલપુર સેક્શનને વિકસાવીને ચાર લેન ધરાવતો કરવા માટે પણ મંજૂરી આપી છે.

અંદાજિત ખર્ચ રૂ. 2491.53 કરોડ થશે અને વિકસાવવામાં આવી રહેલા રસ્તાની કુલ લંબાઈ આશરે 151 કિલોમીટર હશે.

આ પ્રોજેક્ટને કારણે ઓડિશામાં માળખાકીય સવલતો ઝડપભેર સુધારવામાં સહાય મળશે અને અંગુલ અને સંબલપુર સેક્શન વચ્ચેના ટ્રાફિક, ખાસ કરીને ભારે ટ્રાફિક માટેના સમય અને ખર્ચ ઘટાડી શકાશે.

સીસીપીએએ મહારાષ્ટ્રમાં એનએચ-211નું ઔરંગાબાદ-તેલવાડી સેક્શન વિકસાવીને ચાર લેનનું કરવા માટે પણ મંજૂરી આપી છે. અંદાજિત ખર્ચ રૂ. 2028.91 કરોડ થશે અને રસ્તાની કુલ લંબાઈ આશરે 87 કિલોમીટર હશે.

આ પટ્ટાના વિકાસને કારણે સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે અને લોકો માટે રોજગારની શક્યતાઓ પણ વધશે.”

AP/J.Khunt/GP