Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) સાથે 6.032 કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ – આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.

આ પ્રોજેક્ટ માટે આઈડીસી (બાંધકામ દરમિયાન વ્યાજ) સહિતનો કુલ પૂર્ણતા ખર્ચ 2,168.04 કરોડ થશે.

લાભો અને વૃદ્ધિને વેગ આપવો: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 2(A) શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ફેઝ 2(A) શહેરમાં મેટ્રો રેલ નેટવર્કના મોટા વિસ્તરણ તરીકે કામ કરે છે.

ઉન્નત કનેક્ટિવિટી: અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2(A)માં આશરે 6.032 કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે.

આ તબક્કાનો ઉદ્દેશ્ય હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે રહેણાંક અને વ્યાપારી હબ સહિતના મુખ્ય વિસ્તારોને સીમલેસ રીતે સંકલિત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે.

આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, ફેઝ 2(A) માત્ર કનેક્ટિવિટીમાં જ વધારો નહીં કરે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે.

ટ્રાફિકની ગીચતામાં ઘટાડો: મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ 2(A) સાથે, અમદાવાદની અંદર ખાસ કરીને પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિકમાં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે વગેરે.

પર્યાવરણીય લાભો: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ના ઉમેરાવાથી અને અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં એકંદર મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થવાથી, પરંપરાગત અશ્મિભૂત બળતણ આધારિત પરિવહનની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

આર્થિક વૃદ્ધિ: મુસાફરીના સમયમાં ઘટાડો અને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં સુધારેલી પહોંચ વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો પર વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ઉપરાંત, ઉન્નત કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં, જે અગાઉ ઓછા સુલભ પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે.

સામાજિક પ્રભાવ: અમદાવાદમાં ફેઝ 2(A) મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ જાહેર પરિવહન સુધી વધુ સમાન પહોંચ પ્રદાન કરશે, જે વિવિધ સામાજિક-આર્થિક જૂથોને લાભ આપશે અને પરિવહન અસમાનતા ઘટાડશે, જે મુસાફરીનો સમય ઘટાડીને અને આવશ્યક સેવાઓ સુધીની પહોંચમાં સુધારો કરીને ઉચ્ચ જીવન ધોરણમાં યોગદાન આપશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 2(A) શહેર માટે એક પરિવર્તનકારી વિકાસ સાબિત થવા માટે તૈયાર છે. તે ઉન્નત કનેક્ટિવિટી, ટ્રાફિકની ઓછી ગીચતા, પર્યાવરણીય લાભો, આર્થિક વૃદ્ધિ અને જીવનની બહેતર ગુણવત્તા પ્રદાન કરવાનું વચન આપે છે. મુખ્ય શહેરી પડકારોનો સામનો કરીને અને ભવિષ્યના વિસ્તરણ માટે પાયો પૂરો પાડીને, ફેઝ 2(A) શહેરના વિકાસના માર્ગ અને ટકાઉપણુંને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

અમદાવાદ મેટ્રો ફેઝ 2A બાંધકામ પ્રવૃત્તિના મહત્તમ કામગીરીના સમયગાળા દરમિયાન આશરે 2,000 વ્યક્તિઓ માટે રોજગારી જનરેટ કરશે અને સિસ્ટમની કામગીરી અને જાળવણી દરમિયાન 500 વ્યક્તિઓ કામ કરે તેવી શક્યતા છે.

રૂટ મેપ:

PM India

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]