Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો હપ્તો છૂટો કરવાનો તથા પેન્શરોને મોંધવારીમાં 1.07.2016થી રાહત આપવાનો કેબિનેટનો નિર્ણય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા (ડીએ)નો હપ્તો છૂટો કરવાનો તથા પેન્શનરોને તા.1-07-2016થી અમલી બને તે રીતે ભાવ વધારાના વળતર તરીકે બેઝીક પગાર/પેન્શનમાં બે ટકાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારો 7મા સેન્ટ્રલ પે કમિશનની ભલામણો અનુસાર કરવામાં આવ્યો છે.

બંને મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહતને કારણે સરકારની તિજોરી ઉપર વાર્ષિક રૂ. 5622.10 કરોડનો બોજ પડશે અને 2016-17ના 8 માસના ગાળા માટે (એટલે કે જુલાઈ 2016 થી ફેબ્રુઆરી 2017 સુધીના ગાળા માટે આ બોજ રૂ. 3748.06 કરોડ જેટલો રહેશે. અંદાજે 50.68 લાખ સરકારી કર્મચારીઓ અને 54.24 લાખ પેન્શનરોને આ જાહેરાતથી લાભ થશે.

AP/TR