પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કેબિનેટ નોટ, “આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવા માટે બંધારણમાં સુધારા”ના સંદર્ભમાં સુધારેલ ઓફીસ મેમોરેન્ડમને (ઓએમ) મંજુરી આપી દીધી છે. આ ઓએમને 8મી જાન્યુઆરી 2019ના રોજ કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
લાભ:
આ મંજુરી વડે તેવા લોકોને ઉચ્ચ શિક્ષણ અને રોજગાર મેળવવામાં સહાયતા મળશે જે લોકો પોતાની આર્થિક સ્થિતિના લીધે આ સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેનાથી સામાજિક સમાનતાને પ્રોત્સાહન મળશે.
J.Khunt