પીએમઇન્ડિયા
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તિરૂપતિ (એપી), પલક્કડ (કેરળ), ધારવાડ (કર્ણાટક), ભિલાઇ (છત્તીસગઢ), ગોવા, જમ્મુ (જમ્મુ કાશ્મીર)માં છ નવા આઇઆઇટીના સમાવેશ માટે ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961માં સંશોધન તથા ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961 અંતર્ગત આઇએસએમ, ધનબાદને આઇઆઇટીમાં રૂપાંતરિત કરવા માટે પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરીથી ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961 અંતર્ગત ટેકનિકલ છ નવા ભારતીય સંસ્થાનોને સામેલ કરવામાં આવશે અને તેમને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આઇએસએમ, ધનબાદનું રૂપાંતરણ કરીને આઇઆઇટી બનાવવાને પણ મંજૂરી આપીને ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961ના વિસ્તારમાં લાવવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય મહત્વની એક સંસ્થાના રૂપમાં જાહેર કરવામાં આવી છે.
J.Khunt