પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જળમાર્ગમાં મુસાફરો અને પ્રવાસીઓના કાયમી આવાગમનને શરુ કરવા માટે દરિયાઈ અને પ્રોટોકોલ રૂટમાં મુસાફરી સેવાઓ અંગેના સમજુતી કરારોને મંજૂરી આપી.
આ કરારોનું અમલીકરણ બન્ને દેશો વચ્ચે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં વૃદ્ધિ માટે લોકો વચ્ચેના સંપર્ક અને સહકારને વધારવામાં સહાય કરશે. તે ભારત અને બાંગ્લાદેશના લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ પણ કરશે.
AP/J.Khunt/GP