પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિદેશમાં વસતા ગુનેગારોને સુપરત કરવા થયેલા સમજૂતી કરાર ઉપર થયેલા હસ્તાક્ષરને બહાલી આપવામાં આવી છે.
આ સમજૂતી કરાર હેઠળ અફઘાનિસ્તાનથી લાવવાના અને અફઘાનિસ્તાનમાં મોકલવાના આતંકવાદીઓ, આર્થિક ગુનેગારો તથા અન્ય ગુનેગારોને જે તે દેશમાં પરત લાવવા અંગેનું કાનૂની માળખું તૈયાર થશે.
TR