Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટ દ્વારા નાગરીક ઉડ્યન નીતિને મંજૂરી અપાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટે નાગરીક ઉડ્યન નીતિને પોતાની મંજૂરી આપી દીધી છે. સ્વતંત્રતા પછી આ એવો પ્રથમ અવસર છે કે નાગરીક ઉડ્યન મંત્રાલય દ્વારા એક સંપૂર્ણ નાગરીક ઉડ્યન નીતિ લાવવામાં આવી છે.

મુખ્ય અંશો

* ભારતને 2022 સુધીમાં 9 માંથી ત્રીજું સૌથી મોટું નાગરીક ઉડ્યન બજાર બનાવવું

* ઘરેલુ ટિકિટીંગને 2022 સુધી 30 કરોડ કરવું જે 2015માં 8 કરોડ હતું.

* વાણિજ્યિક ઉડ્યનો માટે એરપોર્ટની સંખ્યા 2019 સુધીમાં 127 કરવી જે 2016માં 77 છે.

* એક કલાકના પ્રવાસ માટે વધુમાં વધુ ભાડું રૂ.2500 થી વધુ નહીં, વિમાન કંપનીઓને રૂ.2500 થી વધુની કિંમત થવા પર સરકાર ડિસ્કાઉન્ટ આપશે.

* 30 મિનિટની હવાઈ સફર માટે રૂ. 1200થી વધું ભાડું નહીં

* ઓછા બજેટ પર એરપોર્ટને પ્રોત્સાહન

* ક્ષેત્રીય ઉડ્યન પર ખાસ ધ્યાન અપાયું

* મેન્ટેનન્સ એન્ડ રિપેર ઑપરેશન્સ (એમઆરઓ) પર વિશેષ ધ્યાન

* આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવી સરળ, નવી નીતિમાં 5 વર્ષ ઘરેલુ વિમાન સેવા આપવાની શરતનો અંત, 20 વિમાનો હોય તો ઘરેલુ સેવામાં કોઈપણ અનુભવ વગર વિદેશી સેવા શરૂ કરવી.

AP/J.Khunt/GP