પીએમઇન્ડિયા
કેરળમના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, સુરેશ ગોપી, જ્યોર્જ કુરિયન, સંસદસભ્યો અને ધારાસભ્યો, અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, મહિલાઓ અને સજ્જનો!
કોચીની મુલાકાત હંમેશા એક અદ્ભુત અનુભવ રહે છે. આજે, આ જીવંત દરિયાકાંઠાના શહેરમાંથી, મને કેરળમના વિકાસને વધુ વેગ આપવાની તક મળી છે. થોડા સમય પહેલા, કેરળમના વિકાસ સાથે સંબંધિત લગભગ 11,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને સમર્પિત કરવામાં આવ્યું હતું. હું આ પ્રોજેક્ટ્સ માટે કેરળમના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
એન્ડે સુહુર્તાગાડે,
આત્મનિર્ભર ભારત બનાવવા માટે, મેક ઇન ઇન્ડિયા માટે પેટ્રોલિયમ ક્ષેત્રનો વિસ્તાર કરવો જરૂરી છે. આજે કોચી રિફાઇનરીમાં પોલીપ્રોપીલીન યુનિટ માટે શિલાન્યાસ કરવા પાછળનો પણ આ જ ધ્યેય છે. આ યુનિટ વાર્ષિક આશરે 400,000 ટન પોલીપ્રોપીલીનનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં, આ પ્લાન્ટ પેકેજિંગ, કાપડ, ઓટોમોબાઇલ્સ અને તબીબી ઉપકરણો સહિત ઘણા ઉદ્યોગોને ટેકો આપશે.
એન્ડે સુહુર્તાગાડે,
ભારત આજે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે. દેશ AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આ બધા કાર્યો માટે વધુ ઉર્જાની જરૂર છે, વધુને વધુ ગ્રીન અને ક્લીન ઉર્જાની જરૂર છે. અને ભારત વિશ્વના અગ્રણી સૌર ઉર્જા ઉત્પાદકોમાંનો એક બની ગયો છે. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે કેરળમ પણ સૌર ઉર્જા ઉત્પાદનમાં વધુ આગળ વધે. આ માટે, આજે પશ્ચિમ કલ્લાડામાં 50 મેગાવોટના તરતા સૌર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કેરળમમાં મોટી સંખ્યામાં જળસંગ્રહ છે. તેથી, અહીં તરતા સૌર ઉર્જા ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે.
એન્ડે સુહુર્તગડે,
આજે, આધુનિક માળખાગત સુવિધાઓમાં ભારતના રોકાણ માટે વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. આ વર્ષના કેન્દ્ર સરકારના બજેટમાં માળખાગત સુવિધાઓ માટે રેકોર્ડ ભંડોળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માળખાગત રોકાણથી કેરળમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, શોરાનુર જંકશન, કુટ્ટીપુરમ અને ચાંગનાસેરી રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. શોરાનુર-નિલામ્બુર રેલવે લાઇનના મોટા ભાગનું વીજળીકરણ પણ પૂર્ણ થયું છે. આજે, પલક્કડ-પોલ્લાચી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી હતી, જે કેરળમ્ અને તમિલનાડુ બંનેના લોકોને વધુ સુવિધા પૂરી પાડે છે.
એન્ડે સુહુર્તગાડે,
આજે કેરળમમાં અનેક મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિક્સ-લેન રોડના નિર્માણથી અલીક્કલ બંદર સાથે જોડાણમાં સુધારો થશે. સિક્સ -લેન કોઝિકોડ બાયપાસ ટ્રાફિક ભીડ ઘટાડશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે બચાવશે. આ બધા પ્રોજેક્ટ્સ કેરળમના ખેડૂતોને લાભ આપશે અને પર્યટન અને અન્ય ઉદ્યોગોને વેગ આપશે.
એન્ડે સુહુર્તગાડે,
માળખાગત સુવિધાઓ પર ખર્ચવામાં આવતો દરેક રૂપિયો નવી નોકરીઓનું સર્જન કરશે. આ પ્રોજેક્ટ્સ કેરળમના હજારો યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડશે. મને વિશ્વાસ છે કે આ બધા પ્રોજેક્ટ્સ વિકસિત કેરળમ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ફરી એકવાર, આપ સૌને મારી શુભકામનાઓ.
આભાર!
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Speaking at the launch of development works in Ernakulam. These projects will promote industrial growth, boost tourism and enhance ease of living for the people of Keralam. https://t.co/R6i5F0ItEn
— Narendra Modi (@narendramodi) March 11, 2026
आत्मनिर्भर भारत बनाने के लिए, मेक इन इंडिया के लिए पेट्रोलियम सेक्टर का विस्तार बहुत आवश्यक है।
— PMO India (@PMOIndia) March 11, 2026
आज कोच्चि रिफाइनरी में पॉली-प्रोपाइलीन यूनिट के शिलान्यास के पीछे भी यही लक्ष्य है: PM @narendramodi
आज दुनिया आधुनिक इंफ्रास्ट्रक्चर पर हो रहे निवेश के लिए भारत की प्रशंसा करती है।
— PMO India (@PMOIndia) March 11, 2026
इस वर्ष जो केंद्र सरकार का बजट आया है... उसमें भी इंफ्रास्ट्रक्चर के लिए रिकॉर्ड फंड रखा गया है।
इंफ्रास्ट्रक्चर पर हो रहे इस निवेश का बहुत अधिक फायदा केरलम् को मिल रहा है: PM @narendramodi