પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2016-17 માટે ખેડૂતો માટે વ્યાજમાં આર્થિક સહાયની યોજનાને મંજૂરી આપી છે. સરકારે આ હેતુ માટે રૂ. 18,276 કરોડ અંકિત કર્યા છે. આનાથી ખેડૂતોને એક વર્ષની અંદર ચુકવી શકાય તેવી ટૂંકા ગાળાની પાક લોનથી લઈને વાર્ષિક 4 ટકાના વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની લોન મેળવવામાં મદદ મળશે.
આ યોજનાની ઉપયોગી ખાસિયતો નીચે મુજબ છેઃ
અ) કેન્દ્ર સરકાર વર્ષ 2016-17 દરમિયાન ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. 3 લાખ સુધીની લોન માટે એક વર્ષ સુધી ટૂંકા ગાળાની પાક લોન માટે તમામ ખેડૂતોને વ્યાજમાં વાર્ષિક 5 ટકા પેટે આર્થિક સહાય પ્રદાન કરશે કે છૂટ આપશે. એટલે ખેડૂતોને અસરકારક રીતે ફક્ત 4 ટકા વ્યાજ ચુકવવું પડશે. ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.
બ) કેન્દ્ર સરકાર 2016-17 માટે વ્યાજમાં આર્થિક સહાય પેટે રૂ. 19,276 કરોડ આપશે.
ક) લણણી પછી પોતાના ઉત્પાદનોની ખેંચ માટે 9 ટકાના દરે ઋણ લેવા મજબૂત નાના અને સીમાંત ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય મંજૂર કરી છે એટલે કે 6 મહિના સુધીની લોન માટે અસરકારક વ્યાજ 7 ટકા થશે.
ડ) રાષ્ટ્રીય આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા બેંકોને પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે.
ઇ) ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ચુકવી ન શકે તો તેઓ ઉપરોક્ત 5 ટકાની ઉપલબ્ધ સુવિધાને બદલે વ્યાજમાં 2 ટકાની આર્થિક સહાય મેળવવાને પાત્ર બનશે.
AP/TR/GP