Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ પ્રધાનમંત્રીએ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેમનો બહોળો અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ ઘડતરને ખૂબ જ મજબૂત બનાવશે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનું યોગદાન તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વૃદ્ધિમાં મદદ કરશે. તેમણે તેમને આગામી અત્યંત ઉત્પાદક અને પ્રભાવશાળી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન. તેમનો બહોળો અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ ઘડતરને ખૂબ જ મજબૂત બનાવશે. મને વિશ્વાસ છે કે તેમનું યોગદાન તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વૃદ્ધિમાં મદદ કરશે. તેમને આગામી અત્યંત ઉત્પાદક અને પ્રભાવશાળી કાર્યકાળ માટે શુભેચ્છાઓ.”

SM/IJ/JD