Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અબુ ધાબીના રાજકુમાર સાથે ટેલિફોન પર વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના રાજકુમાર અને યુએઈ સશસ્ત્ર દળોના નાયબ સુપ્રીમ કમાન્ડર મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાન સાથે આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સર્વાંગી સહકારની વધતી મજબૂતી અંગે પારસ્પરિક ખુશી વ્યક્ત કરી હતી. આગળ જતા પણ આ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પર તેમણે ભાર મૂક્યો હતો.

અગાઉ આ મહિને અબુધાબીમાં ઓઆઈસી (Organisation of Islamic Cooperation) વિદેશમંત્રીઓની પરિષદમાં સંબોધન કરવા માટે ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભારતને આપવામાં આવેલા આમંત્રણ બદલ તેમણે રાજકુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઐતિહાસિક સહભાગીતા શાંતિ અને પ્રગતિના સહિયારા લક્ષ્યો સિદ્ધ કરવા માટે યોગદાન આપશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

RP