Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રો માટે એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય દળ મોકલ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં હાલમાં જ આવેલા ભૂસ્ખલનના લીધે નુકસાનનો અંદાજ લગાવવા માટે બે સદસ્યોના કેન્દ્રીય દળને અરૂણાચલ પ્રદેશ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ દળમાં નીતિ આયોગના એક વરિષ્ટ સલાહકાર તથા ગૃહ મંત્રાલયના એક સંયુક્ત સચિવ સામેલ છે. પ્રધાનમંત્રીએ દળને નિર્દેશ આપ્યો છે કે તેઓ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાહત અને વળતર પેકેજનું મૂલ્યાંકન કરે તથા પોતાનો રીપોર્ટ રજૂ કરે.

ભૂસ્ખલનની ઘટના 22 એપ્રિલ, 2016ના રોજ થઈ હતી. પ્રધાનમંત્રીએ પહેલા જ તવાંગમાં થયેલ ભૂસ્ખલન દરમિયાન માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયા તથા ગંભીર રૂપથી ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ સ્વીકૃત કરી ચૂક્યા છે.

AP/J.Khunt/GP