Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને તથા તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શ્રી પવન કલ્યાણની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

X પરની એક પોસ્ટમાં મુલાકાતની વિગતો શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:

“આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ ગારુના નિવાસસ્થાને ગયો અને તેમને તેમજ તેમના પરિવારને મળ્યો. પવન કલ્યાણ ગારુની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.

@PawanKalyan”

SM/IJ/JD