Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઈએનએસ અગ્રય, આઈએનએસ દૂનાગિરી અને આઈએનએસ સંશોધક પર આયોજિત ટ્રાય કમિશનિંગ સમારોહમાં પોતાના સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આઈએનએસ અગ્રય, આઈએનએસ દૂનાગિરી અને આઈએનએસ સંશોધકના ટ્રાય કમિશનિંગ સમારોહમાં પોતાના સંબોધનની ઝલક શેર કરી છે.

X (એક્સ) પોસ્ટ્સની એક શ્રૃંખલામાં, શ્રી મોદીએ કહ્યું;

જે દેશનું દરિયાઈ સામર્થ્ય જેટલું મજબૂત હશે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ એટલો જ સશક્ત હશે. ભારત આ માટે પોતાને તૈયાર કરી રહ્યું છે.”

ભારતવર્ષની શક્તિની ઓળખ આત્મનિર્ભરતામાં છે અને જે દિવસે આપણે નિર્માતા બનીશું, તે દિવસે નિર્ણાયક પણ બનીશું.”

ભારત આજે પોતાની સમગ્ર મેરિટાઇમ ઇકોસિસ્ટમને સશક્ત બનાવી રહ્યું છે. આનાથી વ્યાપારનો ખર્ચ ઓછો થયો છે, ઉદ્યોગોને નવી ગતિ મળી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી-નવી તકો બની રહી છે.”

“2014 પછીથી અમે નીતિઓના સ્તર પર મોટા સુધારા કર્યા છે. આનાથી સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધવાની સાથે જ આપણી ડિફેન્સ એક્સપોર્ટ પણ અભૂતપૂર્વ ગતિથી વધી છે.”

SM/IJ/JD