Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આણંદમાં આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ ખાતે અમૂલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટ સહિત આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણ લીધી અને ત્યાં ઉપયોગમાં લેવાઈ રહેલી વિવિધ ટેકનોલોજી અને ત્યાં બનાવવામાં આવતા ઉત્પાદનો અંગે તેમને સંક્ષેપમાં માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થવા બદલ આણંદના લોકોનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું કે આજે ઉદઘાટન થઇ રહેલા વિકાસ કાર્યો એ સહકારી ક્ષેત્ર માટે શુભ સંકેતો આપનારા છે. તેમણે કહ્યું કે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની ચુકી છે. તેમણે કહ્યું કે અમૂલ એ માત્ર દૂધની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ તે સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સહકારના માધ્યમથી, સરદાર પટેલે એક એવો માર્ગ ચીંધ્યો કે જ્યાં ન તો સરકાર અને ન તો ઉદ્યોગપતિઓ નવીન પહેલ કરવાની આગેવાની કરી શકે છે. તેમણે કહ્યું કે તે એક અલગ જ મોડલ છે જ્યાં લોકોનું મહત્વ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અંદર કરવામાં આવેલા પ્રયત્નોએ લોકોને અને ખાસ કરીને ખેડૂતોને મદદ કરી છે. તેમણે શહેરી વિકાસ પર ભાર મુકવાની સરદાર પટેલની વાતને પણ યાદ કરી હતી.

2022માં ભારતની આઝાદીની 75મી જયંતિને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત એ દૂધ પ્રસંસ્કરણમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે પરંતુ તેનાથી પણ વધુ સારો દેખાવ કરી શકે છે. તેમણે કહ્યું કે નવીનીકરણ અને મૂલ્ય વર્ધન કરવાનો સમય હવે આવી ગયો છે. આ સંદર્ભમાં તેમણે મધના ઉત્પાદન અંગે પણ વાત કરી.

****

RP