પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બલરામપુરના સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે એમના નિધનથી દરેક ભારત પ્રેમી માટે, દરેક રાષ્ટ્રભક્ત માટે એક બહુ મોટી ખોટ પડી છે. તેમણે કહ્યું કે જનરલ બીપિન રાવતજી દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જેટલી મહેનત કરી રહ્યા હતા, સમગ્ર દેશ એનો સાક્ષી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દુ:ખમાં છે તેમ છતાં દર્દ સહન કરીને પણ આપણે ન તો આપણી ગતિ અટકાવીએ છીએ, ન પ્રગતિ. ભારત અટકશે નહીં. દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેલ સુદૃઢ કરવાનું અભિયાન, ઝડપથી આગળ વધતું રહેશે. જનરલ બીપિન રાવત, આવનારા દિવસોમાં, પોતાના ભારતને નવા સંકલ્પો સાથે આગળ વધતું જોશે. દેશની સરહદોની સુરક્ષા વધારવાનું કામ, સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના સપૂત, દેવરિયામાં રહેતા ગ્રૂપ કૅપ્ટન વરૂણ સિંહજીનું જીવન બચાવવા માટે ડૉકટર ઘણી મહેનત કરી રહ્યા છે. હું મા પાટેશ્વરી પાસે એમનાં જીવનની રક્ષાની પ્રાર્થના કરું છું. દેશ આજે વરૂણ સિંહના પરિવારની સાથે છે, જે વીરોને આપણે ગુમાવ્યા છે, એમના પરિવારોની સાથે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની નદીઓનાં જળનો સદઉપયોગ થાય, ખેડૂતોનાં ખેતર સુધી પૂરતું પાણી પહોંચે, એ સરકારની સર્વોચ્ચ અગ્રતામાંની એક છે. સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજના સંપન્ન થઈ એ એ વાતની સાબિતી છે કે જ્યારે વિચારધારા ઇમાનદાર હોય છે ત્યારે કામ પણ મજબૂત–દમદાર થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે આ પરિયોજના પર કામ શરૂ થયું હતું ત્યારે એનો ખર્ચ 100 કરોડ રૂપિયા કરતા પણ ઓછો હતો. આજે એ લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પૂરી થઈ છે. અગાઉની સરકારોની બેદરકારીથી 100 ગણી વધારે કિમત દેશે ચૂકવવી પડી છે. “સરકારી પૈસા છે તો મારે શું, એ વિચાર દેશના સંતુલિત અને સંપૂર્ણ વિકાસમાં સૌથી મોટી અડચણ બની ગયો હતો. આ વિચારે જ સરયૂ નહેર પરિયોજનાને લટકાવી પણ, ભટકાવી પણ. પ્રધાનમંત્રીએ કહ્યું. “સરયૂ નહેર પરિયોજનામાં જેટલું કામ 5 દાયકાઓમાં થઈ શક્યું હતું, એનાથી વધારે કામ અમે 5 વર્ષ કરતા ઓછા સમયમાં કરી બતાવ્યું છે. આ જ ડબલ એન્જિનની સરકાર છે. આ ડબલ એન્જિન સરકારનાં કામની ઝડપ છે. અમારી અગ્રતા પ્રોજેક્ટને સમયસર પૂરા કરવાની છે.”
પ્રધાનમંત્રીએ બાણ સાગર પરિયોજના, અર્જુન સહાયક સિંચાઇ પરિયોજના, ગોરખપુરમાં એઈમ્સ અને ખાતર પ્લાન્ટ જેવી લાંબા સમયથી પડતર પરિયોજનાઓનાં નામ ગણાવ્યાં હતાં જે આ ‘ડબલ એન્જિન’ની સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. તેમણે કેન બેતવા લિંક પરિયોજનાને પણ આ સરકારની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. 45000 કરોડ રૂપિયાની પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની ગત મીટિંગમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પરિયોજના બુંદેલખંડ વિસ્તારને જળ સંકટની સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે પહેલી વાર નાના ખેડૂતોને સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ, મત્સ્ય પાલન અને ડેરી ને મધમાખી ઉછેરમાં આવકના વૈકલ્પિક સ્ત્રોત અને ઈથેનોલમાં વ્યાપક અવસર જેવાં કેટલાંક મહત્વનાં પગલાં લેવાઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું છેલ્લા સાડા ચાર વર્ષોમાં ઉત્તર પ્રદેશમાંથી જ 12000 કરોડ રૂપિયાની કિમતનું ઈથેનોલ ખરીદાયું છે. પ્રધાનમંત્રીએ કુદરતી ખેતી અને ઝીરો બજેટ ખેતી વિશે 16મી ડિસેમ્બરે આયોજિત થનારા કાર્યક્રમ માટે ખેડૂતોને આમંત્રિત કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ રાજ્યના 30 લાખથી વધુ પરિવારોને ‘પીએમએવાય’હેઠળ પાકાં ઘર મળ્યાં છ, જેમાંથી મોટા ભાગનાં ઘર સંબંધિત પરિવારોની મહિલાઓનાં નામે છે. પ્રધાનમંત્રીએ ‘સ્વામિત્વ યોજના’ના વિવિધ લાભો વિશે પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કોરોના કાળમાં અમે સંપૂર્ણ ઇમાનદારીથી પ્રયાસ કર્યા છે કે કોઇ ગરીબ ભૂખ્યો ન રહે. એ માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતા મફત રાશનના અભિયાનને હાલ હોળીથી આગળ સુધીની મુદત માટે લંબાવાયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલાના સમયમાં માફિયાને સંરક્ષણ મળતું હતું. એનાથી વિપરિત, આજે માફિયાનો સફાયો થઈ રહ્યો છે અને ફરક સાફ દેખાઇ રહ્યો છે. પહેલા બાહુબલીઓને ઉત્તેજન અપાતું હતું. આજે યોગીજીની સરકાર ગરીબ, દલિત, પછાત અને આદિવાસી, તમામને સશક્ત બનાવવામાં લાગી છે. એટલે તો યુપીના લોકો કહે છે– ફરક દેખીતો છે. પહેલા જમીન પર માફિયાઓ દ્વારા ગેરકાયદે કબજો થવો સામાન્ય વાત હતી, જ્યારે આજે યોગીજી આ પ્રકારના અતિક્રમણ પર બુલડોઝર ચલાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર આપીને કહ્યું કે એટલે તો યુપીના લોકો કહે છે– ફરક દેખીતો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Speaking at the launch of the Saryu Nahar National Project. Watch. https://t.co/d0tNpdM8kk
— Narendra Modi (@narendramodi) December 11, 2021
भारत के पहले चीफ ऑफ डिफेंस स्टाफ, जनरल बिपिन रावत जी का जाना हर भारतप्रेमी के लिए, हर राष्ट्रभक्त के लिए बहुत बड़ी क्षति है।
— PMO India (@PMOIndia) December 11, 2021
जनरल बिपिन रावत जी जितने जांबांज थे, देश की सेनाओं को आत्मनिर्भर बनाने के लिए जितनी मेहनत कर रहे थे, पूरा देश उसका साक्षी रहा है: PM @narendramodi
जनरल बिपिन रावत, आने वाले दिनों में, अपने भारत को नए संकल्पों के साथ आगे बढ़ते हुए देखेंगे।
— PMO India (@PMOIndia) December 11, 2021
देश की सीमाओं की सुरक्षा बढ़ाने का काम,
बॉर्डर इंफ्रास्ट्रक्चर को मजबूत करने का काम: PM @narendramodi
देश की सेनाओं को आत्मनिर्भर बनाने का अभियान,
— PMO India (@PMOIndia) December 11, 2021
तीनों सेनाओं में तालमेल सुदृढ़ करने का अभियान,
तेजी से आगे बढ़ता रहेगा: PM @narendramodi
भारत दुख में है लेकिन दर्द सहते हुए भी हम ना अपनी गति रोकते हैं और ना प्रगति।
— PMO India (@PMOIndia) December 11, 2021
भारत रुकेगा नहीं, भारत थमेगा नहीं: PM @narendramodi
यूपी के सपूत, देवरिया के रहने वाले ग्रुप कैप्टन वरुण सिंह जी का जीवन बचाने के लिए डॉक्टर जी-जान से लगे हुए हैं।
— PMO India (@PMOIndia) December 11, 2021
मैं मां पाटेश्वरी से उनके जीवन की रक्षा की प्रार्थना करता हूं।
देश आज वरुण सिंह जी के परिवार के साथ है, जिन वीरों को हमने खोया है, उनके परिवारों के साथ है: PM
देश की नदियों के जल के सदुपयोग हो, किसानों के खेत तक पर्याप्त पानी पहुंचे, ये सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है।
— PMO India (@PMOIndia) December 11, 2021
सरयू नहर राष्ट्रीय परियोजना का पूरा होना इस बात का सबूत है कि जब सोच ईमानदार होती है, तो काम भी दमदार होता है: PM @narendramodi
सरकारी पैसा है तो मुझे क्या, ये सोच देश के संतुलित और संपूर्ण विकास में सबसे बड़ी रुकावट बन गई थी।
— PMO India (@PMOIndia) December 11, 2021
इसी सोच ने सरयू नहर परियोजना को लटकाया भी, भटकाया भी।
आज से करीब-करीब 50 साल पहले इस पर काम शुरु हुआ था और आज इसका काम पूरा हुआ है: PM @narendramodi
जब इस परियोजना पर काम शुरू हुआ था, तो इसकी लागत 100 करोड़ रुपए से भी कम थी।
— PMO India (@PMOIndia) December 11, 2021
आज ये लगभग 10 हज़ार करोड़ रुपए खर्च करने के बाद पूरी हुई है।
पहले ही सरकारों की लापरवाही की 100 गुना ज्यादा कीमत देश को चुकानी पड़ी है: PM @narendramodi
सरयू नहर परियोजना में जितना काम 5 दशक में हो पाया था, उससे ज्यादा काम हमने 5 साल से पहले करके दिखाया है।
— PMO India (@PMOIndia) December 11, 2021
यही डबल इंजन की सरकार है।
यही डबल इंजन की सरकार के काम की रफ्तार है: PM @narendramodi
इस कोरोना काल में हमने पूरी ईमानदारी से प्रयास किया है कि कोई गरीब भूखा ना सोए।
— PMO India (@PMOIndia) December 11, 2021
अभी इसलिए पीएम गरीब कल्याण अन्न योजना के तहत मिल रहे मुफ्त राशन के अभियान को होली से आगे तक बढ़ा दिया गया है: PM @narendramodi
पहले जो सरकार में थे- वो माफिया को संरक्षण देते थे।
— PMO India (@PMOIndia) December 11, 2021
आज योगी जी की सरकार, माफिया की सफाई में जुटी है।
तभी तो यूपी के लोग कहते हैं- फर्क साफ है: PM @narendramodi
पहले जो सरकार में थे- वो बाहुबलियों को बढ़ाते थे।
— PMO India (@PMOIndia) December 11, 2021
आज योगी जी की सरकार गरीब, दलित, पिछड़े और आदिवासी, सभी को सशक्त करने में जुटी है।
तभी तो यूपी के लोग कहते हैं- फर्क साफ है: PM @narendramodi
पहले जो सरकार में थे, वो यहां जमीनों पर अवैध कब्जे करवाते थे।
— PMO India (@PMOIndia) December 11, 2021
आज ऐसे माफियाओं पर जुर्माना लग रहा है, बुलडोजर चल रहा है।
तभी तो यूपी के लोग कहते हैं- फर्क साफ है: PM @narendramodi
भारत के पहले सीडीएस जनरल बिपिन रावत का जाना हर राष्ट्रभक्त के लिए बहुत बड़ी क्षति है, लेकिन भारत रुकेगा नहीं, भारत थमेगा नहीं। हम भारतीय मिलकर और मेहनत करेंगे, देश के भीतर और देश के बाहर की हर चुनौती का मुकाबला करेंगे, भारत को और शक्तिशाली-समृद्ध बनाएंगे। pic.twitter.com/r1Kfmsms54
— Narendra Modi (@narendramodi) December 11, 2021
सरयू नहर राष्ट्रीय परियोजना में जितना काम 5 दशक में हो पाया था, उससे ज्यादा काम हमने 5 साल से पहले करके दिखाया है।
— Narendra Modi (@narendramodi) December 11, 2021
यही डबल इंजन की सरकार है। यही तो डबल इंजन सरकार के काम की रफ्तार है। pic.twitter.com/mh5w59wlpm
देश में आजादी के बाद ये पहली ऐसी सरकार है, जो छोटे किसानों की सुध ले रही है।
— Narendra Modi (@narendramodi) December 11, 2021
पहली बार दो हेक्टेयर से कम भूमि वाले छोटे किसानों को सरकारी लाभ और सरकारी सुविधा से जोड़ा गया है। बीज से लेकर बाजार तक, खेत से लेकर खलिहान तक, उनकी हर तरह से मदद की जा रही है। pic.twitter.com/hZIUzIBPPJ
फर्क साफ है… pic.twitter.com/ICS4dDAaQ3
— Narendra Modi (@narendramodi) December 11, 2021