Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સાચા જ્ઞાનની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂકે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાચું જ્ઞાન રાષ્ટ્ર, સમાજ અને સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરે છે. તેમણે કહ્યું કે આપણું જ્ઞાન અને આપણા કાર્યો સમગ્ર માનવતા માટે પ્રેરણાસ્ત્રોત બને તે મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રી સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું

आत्मा शुद्धः सदा नित्यः सुखरूपः स्वयम्प्रभः।
अज्ञानान्मलिनो भाति ज्ञानाच्छुद्धो भवत्ययम्।।

 સુભાષિત સંદેશ આપે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ, શાશ્વત, આનંદમય અને સ્વયંપ્રકાશિત છે. જોકે, અજ્ઞાનને કારણે, તે અશુદ્ધ દેખાય છે; પરંતુ સાચા જ્ઞાન દ્વારા, તે ફરીથી તેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:

સાચું જ્ઞાન રાષ્ટ્ર,સમાજ અને સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરે છેતેથી, આપણું જ્ઞાન અને આપણા કાર્યો સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ બને તે જરૂરી છે.”

आत्मा शुद्धः सदा नित्यः सुखरूपः स्वयम्प्रभः।
अज्ञानान्मलिनो भाति ज्ञानाच्छुद्धो भवत्ययम्।।

SM/DK/GP/JT