Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેદરનાથ મંદિરમાં પૂજા કરી; તેમજ પુનર્નિર્માણ પરિયોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ


દિવાળીના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની યાત્રા કરી હતી. તેમણે ઐતિહાસિક કેદરનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સંપૂર્ણ મંદિર પરિસરને નિહાળ્યુ અને ત્યાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ. વરિષ્ઠ અધિકારીઓએ ચાલી રહેલા નિર્માણ કાર્ય વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત પણ કરી હતી.

2013માં આવેલા પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત કેદારનાથ મંદિર પરિસરમાં અત્યારે વિકાસ અને પુનર્નિમાણનું કાર્ય પ્રગતિમાં છે.

RP