પીએમઇન્ડિયા


દિવાળીના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની યાત્રા કરી હતી. તેમણે ઐતિહાસિક કેદરનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સંપૂર્ણ મંદિર પરિસરને નિહાળ્યુ અને ત્યાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ. વરિષ્ઠ અધિકારીઓએ ચાલી રહેલા નિર્માણ કાર્ય વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત પણ કરી હતી.
2013માં આવેલા પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત કેદારનાથ મંદિર પરિસરમાં અત્યારે વિકાસ અને પુનર્નિમાણનું કાર્ય પ્રગતિમાં છે.
RP
बाबा केदारनाथ के दर्शन का सौभाग्य पाकर अभिभूत हूं।
— Narendra Modi (@narendramodi) November 7, 2018
मैंने महादेव से देश की निरंतर प्रगति और सभी देशवासियों के सुख, शांति और समृद्धि की कामना की है।
जय बाबा केदारनाथ ! pic.twitter.com/IlyPJ7pcsi
On the banks of the pristine Bhagirathi river, praying to Maa Bhagirathi.
— Narendra Modi (@narendramodi) November 7, 2018
Felt extremely blessed. pic.twitter.com/uz2PEPYYbx