Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છઠ પૂજાના પવિત્ર ખરના વિધિ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાપર્વ ​​છઠ દરમિયાન ઉજવાતા ‘ખરના‘ના શુભ પ્રસંગે તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલા કઠોર ઉપવાસ અને ધાર્મિક વિધિઓનું પાલન કરનારા તમામ લોકોને નમન કર્યા.

શ્રી મોદીએ આ પ્રસંગે છઠી મૈયાને સમર્પિત ભક્તિ ગીતો પણ શેર કર્યા.

એક્સ પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“છઠના મહાન તહેવાર ખરના પૂજા નિમિત્તે આપ સૌને શુભકામનાઓ. ઉપવાસ કરનારા બધાને મારા આદરપૂર્ણ વંદન! શ્રદ્ધા અને સંયમનું પ્રતીક એવા આ પવિત્ર પ્રસંગે, સાત્વિક પ્રસાદ સાથે ગોળમાંથી બનાવેલી ખીરનું સેવન કરવું પરંપરાગત છે. હું ઈચ્છું છું કે છઠી મૈયા આ વિધિ પર દરેકને આશીર્વાદ આપે.”

https://www.youtube.com/watch?v=mOTEaLwwKK0

https://m.youtube.com/watch?v=fwX2g9jjo1o&pp=0gcJCR4Bo7VqN5tD

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]