Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને ‘બસ્તર પાંડુમ’ ઉત્સવની ખાસ ઉજવણી માટે અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના લોકોને 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન છત્તીસગઢમાં ‘બસ્તર પાંડુમ’ ઉત્સવની ખાસ ઉજવણી માટે અભિનંદન આપ્યા છે. આ ઉત્સવ દરમિયાન, બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને આદિવાસી વારસાને ભવ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

“પહેલાં, જ્યારે પણ બસ્તરનું નામ લેવામાં આવતું હતું, ત્યારે માઓવાદ, હિંસા અને વિકાસમાં પછાતપણાની છબીઓ રજૂ થતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે, બસ્તર ફક્ત તેના વિકાસ માટે જ નહીં પરંતુ તેના સ્થાનિક લોકોના વધતા આત્મવિશ્વાસ માટે પણ જાણીતું છે. મારી એકમાત્ર ઇચ્છા છે કે આ પ્રદેશનો આવનારો સમય શાંતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાથી ભરેલો રહે”, એમ શ્રી મોદીએ જણાવ્યું.

X પર કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

“7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન, છત્તીસગઢમાં બસ્તર પાંડુમનામનો એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને આદિવાસી વારસાનું ભવ્ય રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ સાથે સંકળાયેલા મારા પરિવારના તમામ સભ્યોને મારા હૃદયપૂર્વક અભિનંદન. આવા કાર્યક્રમો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પહેલાં, જ્યારે બસ્તરનો ઉલ્લેખ કરવામાં આવતો હતો, ત્યારે માઓવાદ, હિંસા અને વિકાસમાં પછાતપણાની છબીઓ ઉભરી આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે, બસ્તર તેના વિકાસ તેમજ સ્થાનિક લોકોના વધતા આત્મવિશ્વાસ માટે જાણીતું છે. હું ઈચ્છું છું કે અહીંનું ભવિષ્ય શાંતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક ગૌરવથી ભરેલું રહે.”

 

SM/IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]