Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્નદ્રષ્ટા નેતા, અસાધારણ પ્રશાસક, વ્યૂહાત્મક વિચારક અને સ્વરાજ્યના ચેમ્પિયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શિવાજી મહારાજનું સાહસ પ્રેરણાદાયક રહે છે, તેમનું શાસન માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે, અને ન્યાય અને આત્મસન્માનની તેમની ભાવના આજે પણ સમાજને મજબૂત બનાવે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે હંમેશા દરેક વ્યક્તિના કલ્યાણને બીજા બધા કરતા ઉપર રાખ્યું અને તેમના રક્ષણ માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા. આ પ્રતિબદ્ધતા જ તેમનું જીવન પેઢી દર પેઢી ભારત માટે દીવાદાંડી બની રહે છે.

X પર અલગ અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર, અમે સ્વપ્નદ્રષ્ટા નેતા, અસાધારણ પ્રશાસક, વ્યૂહાત્મક વિચારક અને સ્વરાજ્યના ચેમ્પિયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

તેમની હિંમત આપણને પ્રેરણા આપે, તેમનું શાસન આપણને માર્ગદર્શન આપે અને ન્યાય અને આત્મસન્માનની તેમની ભાવના આપણા સમાજને મજબૂત બનાવે.”

 

“छत्रपती शिवाजी महाराज यांच्या  जयंतीनिमित्त, दूरदर्शी नेते, कुशल प्रशासक, विलक्षण रणनीतीकार आणि स्वराज्याचे पुरस्कर्ते अशा महान व्यक्तिमत्त्वाला आम्ही साष्टांग नमन करतो.

त्यांचे शौर्य आपल्याला प्रेरणा देईल, त्यांचे सुशासन आपल्यासाठी मार्गदर्शक ठरेल आणि न्याय व स्वाभिमानाची त्यांची भावना आपल्या समाजाला अधिक सक्षम करेल.”

 

એક સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરીને, શ્રી મોદીએ બીજી એક ટ્વીટમાં લખ્યું:

“છત્રપતિ શિવાજી મહારાજે હંમેશા લોકોના કલ્યાણને સૌથી ઉપર રાખ્યું અને તેમની સુરક્ષા માટે પોતાને સમર્પિત કર્યા. તેથી, તેમનું જીવન આજે પણ ભારત માટે માર્ગદર્શક પ્રકાશ છે.”

गोपायितारं दातारं धर्मनित्यमतन्द्रितम्।

अकामद्वेषसंयुक्तमनुरज्यन्ति मानवाः।।

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]