Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ કહ્યું, “જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને મારા હાર્દિક અભિનંદન. આ સાથે કોઈ ભારતીય પ્રક્ષેપણ યાન દ્વારા સૌથી વજનદાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ કરવા માટેનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.

આ ઉપગ્રહ આપણા દેશના દૂર્ગમ સ્થાનો સુધી સંચાર અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવશે.”

RP