પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી છે.
X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“બાબાસાહેબ ડૉ. આંબેડકરનું જીવન ગરીબો, વંચિતો અને શોષિતોને ન્યાયી વ્યવસ્થા આપવા માટે સમર્પિત હતું. અમારી સરકાર પણ આજે તે જ ભાવના સાથે સૌને સાચો સામાજિક ન્યાય આપવામાં લાગેલી છે.”
बाबासाहेब डॉ. अम्बेडकर का जीवन गरीबों, वंचितों और शोषितों को न्यायपूर्ण व्यवस्था देने के लिए समर्पित था। हमारी सरकार भी आज उसी भावना के साथ सबको सच्चा सामाजिक न्याय देने में जुटी है। pic.twitter.com/n4kK4foSCl
— Narendra Modi (@narendramodi) April 14, 2026
“દેશના રસ્તાઓ, હાઈવે, એક્સપ્રેસ-વે, એર-વે, રેલ-વે અને વોટર-વે એ વિકાસની ભાગ્ય રેખાઓ છે. છેલ્લા એક દાયકાથી અમારી સરકાર તેના નિર્માણમાં નિરંતર પ્રયત્નશીલ છે.”
देश की सड़कें, हाइवे, एक्सप्रेसवे, एयरवे, रेलवे और वाटरवे विकास की भाग्य रेखाएं हैं। बीते एक दशक से हमारी सरकार इनके निर्माण में निरंतर प्रयासरत है। pic.twitter.com/ePKnNCJLIo
— Narendra Modi (@narendramodi) April 14, 2026
“આજે જે દહેરાદૂન-દિલ્હી ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન થયું છે, તેનાથી આખા ક્ષેત્રનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી માત્ર આવવા-જવાનું સસ્તું અને ઝડપી જ નહીં થાય, પરંતુ ઉત્તરાખંડના પ્રવાસન અને વ્યાપારને પણ ઘણો ફાયદો થશે.”
आज जिस देहरादून-दिल्ली इकोनॉमिक कॉरिडोर का उद्घाटन हुआ है, उससे इस पूरे क्षेत्र का कायाकल्प होने जा रहा है। इससे न केवल आना-जाना सस्ता और तेज होगा, बल्कि उत्तराखंड के टूरिज्म और व्यापार को भी बहुत फायदा होगा। pic.twitter.com/Qp2LjOO50n
— Narendra Modi (@narendramodi) April 14, 2026
“ઉત્તરાખંડમાં દેશ-દુનિયામાંથી આવતા તમામ પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓને મારી આ વિશેષ અપીલ…”
उत्तराखंड में देश-दुनिया से आने वाले सभी पर्यटकों और तीर्थयात्रियों से मेरी यह विशेष अपील… pic.twitter.com/8nSyXfuTLq
— Narendra Modi (@narendramodi) April 14, 2026
“દેવભૂમિ ઉત્તરાખંડથી દેશના તમામ પક્ષોને મારો ફરી એકવાર આગ્રહ છે કે તેઓ નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાને જરૂર સમર્થન આપે. અમે 2029 થી જ દેશની માતાઓ-બહેનોને તેમનો હક આપીને જ રહીશું.”
देवभूमि उत्तराखंड से देश के सभी दलों से मेरा एक बार फिर आग्रह है कि वे नारीशक्ति वंदन अधिनियम में संशोधन का समर्थन जरूर करें। हम 2029 से ही देश की माताओं-बहनों को उनका हक देकर रहेंगे। pic.twitter.com/w0g3ir3fy6
— Narendra Modi (@narendramodi) April 14, 2026
“સેનાના સામર્થ્યને સશક્ત કરવાનું હોય કે આપણા સૈનિક પરિવારોની સુવિધા અને સન્માનની વાત હોય, અમારી સરકાર આ દિશામાં કોઈ કસર છોડી રહી નથી.”
सेना के सामर्थ्य को सशक्त करना हो या हमारे सैनिक परिवारों की सुविधा और सम्मान की बात, हमारी सरकार इस दिशा में कोई कोर-कसर नहीं छोड़ रही है। pic.twitter.com/cZDyJBoscM
— Narendra Modi (@narendramodi) April 14, 2026
SM/DK/JD