પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રધાનમંત્રી તથા ઉપરાષ્ટ્રપતિ તથા દુબઈના શાસક એચ. એચ. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમને પત્ર લખીને તેમના પુત્ર એચ. એચ. શેખ રાશિદ બિન મોહમ્મદ અલ-મકતૂમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે લખ્યું કે, “મને તમારા પ્રતિભાશાળી પુત્ર શેખ રાશિદ બિન મોહમ્મદ અલ-મકતૂમના અચાનક તથા અસમય નિધનના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું છે.
તેમના નિધનની સાથે જ, એક પ્રતિભાશાળી તથા કાબેલ ભવિષ્ય સમાપ્ત થઈ ગયું છે. વ્યક્તિગત દુઃખના આ સમયમાં, અમારી સંવેદનાઓ તથા પ્રાર્થનાઓ આપને, આપના પરિવારને તથા યુએઈની જનતાની સાથે છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું – ભારતની જનતા આ અપૂરણીય ક્ષતિ તથા શોકના સમયમાં યુએઈના પોતાના ભાઈ-બહેનોની સાથે છે.
UM/J.Khunt/GP
My deepest condolences to @HHShkMohd on the unfortunate & untimely demise of his son HH Sheikh Rashid bin Mohammed bin Rashid Al Maktoum.
— Narendra Modi (@narendramodi) September 20, 2015