Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દ્રઢ સંકલ્પ, આત્મનિયંત્રણ અને સમજદારીના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કરતાં કહ્યું કે નિશ્ચય અને આત્મનિયંત્રણ એ એવી શક્તિઓ છે જે સૌથી મુશ્કેલ માર્ગોને પણ સરળ બનાવે છે. શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો કે આજે આપણા યુવાનો આ જ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં અવિરતપણે રોકાયેલા છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

નિશ્ચય અને આત્મ-નિયંત્રણ એવી શક્તિઓ છે જે સૌથી મુશ્કેલ માર્ગને પણ સરળ બનાવે છે. આજે, આપણા યુવા સાથીઓ આ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સતત રોકાયેલા છે.

निश्चित्य यः प्रक्रमते

नान्तर्वसति कर्मणः

अबन्ध्यकालो वश्यात्मा

वै पण्डित उच्यते

જે વ્યક્તિ કાળજીપૂર્વક વિચાર-વિમર્શ અને દૃઢ નિશ્ચયથી કાર્ય શરૂ કરે છે, જે તેને ક્યારેય અધૂરું છોડતો નથી, જે સમયનો સદુપયોગ કરે છે અને પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે – ફક્ત તે જ વ્યક્તિ ખરેખર જ્ઞાની છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com