Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે CRPF એ તેની અતૂટ હિંમત અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી, CRPFના જવાનોએ હંમેશા દેશને પ્રથમ સ્થાને રાખ્યો છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે માઓવાદના દૂષણને નાબૂદ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને તેણે ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં યોગદાન આપ્યું છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. CRPF એ તેની અતૂટ હિંમત અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી, CRPFના જવાનોએ હંમેશા દેશને પ્રથમ સ્થાને રાખ્યો છે. માઓવાદના દૂષણને નાબૂદ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને તેમણે ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં યોગદાન આપ્યું છે.”

@crpfindia”

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]