Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા નદી પરના ભાડભૂત બેરેજનાં ભૂમિપૂજનનાં પ્રસંગે તકતીનું અનાવરણ કર્યું હતું. અહીં ભરૂચમાં આયોજિત જનસભામાં પ્રધાનમંત્રીએ ઉધના (સુરત, ગુજરાત) અને જયનગર (બિહાર) વચ્ચે અંત્યોદય એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડનાં વિવિધ પ્લાન્ટના ભૂમિપૂજન માટે તકતીનું અનાવરણ કર્યું હતું અને કેટલાંક પ્લાટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.

તેમણે કહ્યું હતું કે, યુરિયાનાં નીમ કોટિંગથી ખેડૂતોને મદદ મળી છે અને ભ્રષ્ટાચાર તેમજ ચોરી બંધ થઈ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પશુ સંવર્ધનમાં ગુજરાતે ભરેલી હરણફાળથી ખેડૂતોને મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ટીમ ગુજરાત મોકલવા અને પશુ આરોગ્ય મેળાઓનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ જ પ્રકારનાં મેળાનું આયોજન વારાણસીમાં થયું હતું, જેની મુલાકાત લેવાની તક પ્રધાનમંત્રીને મળી હતી.

***

J.Khunt