પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત ઇસ્કોન મંદિરનાં ગીતા આરાધના મહોત્સવ – ભારતનાં સાંસ્કૃતિક ગૌરવ કેન્દ્રમાં સામેલ થયા હતાં.
પ્રધાનમંત્રીએ ઇસ્કોનનાં શ્રદ્ધાળુઓએ તૈયાર કરેલી એક અનોખી ભગવદગીતાનું વિમોચન કર્યું હતું. આ ગીતાનો આકાર 2.8 મીટર છે અને તેનું વજન 800 કિલોગ્રામ છે.
જનસમૂહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભવ્ય ભગવદગીતાનું વિમોચન એક વિશેષ પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે, આ અનોખું પુસ્તક દુનિયા માટે ભારતનાં જ્ઞાનનું પ્રતીક બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકમાન્ય તિલકે જેલમાં કારાવાસ દરમિયાન ‘ગીતા રહસ્ય’ લખ્યું હતું, જેમાં તેમણે સરળ રીતે નિષ્કામ કર્મનાં ભગવાન કૃષ્ણનાં સંદેશનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ પણ ”ગાંધી અનુસાર ભગવદગીતા.” લખી છે, આ પુસ્તકની એક પ્રત તેમણે અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ભેટમાં આપી હતી.
પ્રધાનમંત્રીએ આ ગ્રંથ વિશે વિશ્વ સ્તરે જાગૃતિ વધારવામાં શ્રીલ ભક્તિવેદાંત પ્રભુપાદજીનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણે જીવનમાં સંકટની સ્થિતિનો સામનો કરતાં હોઈએ, ત્યારે ભગવદગીતા હંમેશા આપણી માર્ગદર્શક બની શકે છે. ગીતાનાં પ્રસિદ્ધ શ્લોકને આદ કરીને તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે માનવતાનાં દુશ્મનો સાથે લડતાં હોઈએ છીએ, ત્યારે દૈવી શક્તિ હંમેશા આપણી સાથે હોય છે. તેમણે કહ્યું હતું કે, ગીતા આપણને લોકો માટે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય મૂલ્ય અને સંસ્કૃતિ માનવતાની સામે હાલનાં અનેક સમસ્યાઓનું સમાધાન આપે છે. આ સંદર્ભમાં તેમણે યોગ અને આયુર્વેદનો પણ ઉલ્લેખ કર્યો હતો.
RP
श्रीमद् भागवद् गीता भारत का दुनिया को सबसे प्रेरक उपहार है।
— PMO India (@PMOIndia) February 26, 2019
गीता पूरे विश्व की धरोहर है।
गीता हजारों साल से प्रासंगिक है।
विश्व के नेताओं से लेकर सामान्य मानवी तक सभी को गीता ने लोकहित में कर्म करने का मार्ग दिखाया है: PM
गीता धर्मग्रंथ तो है पर ये जीवन ग्रंथ भी है।
— PMO India (@PMOIndia) February 26, 2019
हम किसी भी देश के हों, किसी भी पंथ के मानने वाले हों पर हर दिन समस्याएं घेरती हैं।
हम जब भी वीर अर्जुन की तरह अनिर्णय के दोराहे पर खड़े होते हैं तो गीता हमें सेवा और समर्पण के रास्ते इन समस्याओं के हल दिखाती है: PM
अगर आप विद्यार्थी हैं और अनिर्णय की स्थिति में हैं, आप किसी देश के राष्ट्राध्यक्ष हैं या फिर मोक्ष की कामना रखने वाले योगी आपको अपने हर प्रश्न का उत्तर श्रीमद्भागवत गीता में मिल जाएगा।
— PMO India (@PMOIndia) February 26, 2019
गीता मानव जीवन की सबसे बड़ी मैन्युअल बुक है। जीवन की हर समस्या का हल गीता में मिल जाता है: PM
मानवता के दुश्मनों से धरती को बचाने के लिए प्रभु की शक्ति हमारे साथ हमेशा रहती है।
— PMO India (@PMOIndia) February 26, 2019
यही संदेश हम पूरी प्रामाणिकता के साथ दुष्ट आत्माओं, असुरों को देने का प्रयास कर रहे हैं: PM
Here are some images from the Gita Aradhana Mahotsav at Delhi’s iconic ISKCON temple.
— Narendra Modi (@narendramodi) February 26, 2019
Unveiled a Bhagwad Gita that is 2.8 meters high and weighs over 800 kg.
The Gita’s prolific teachings have touched the lives of millions of people across the world. pic.twitter.com/QENuLnF7C9