Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગરિકોને ‘મન કી બાત’ સાંભળવા માટે આમંત્રણ આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 31મી મેના રોજ સવારે 11 વાગ્યે પ્રસારિત થનારા ‘મન કી બાત’ ના આગામી એપિસોડને સાંભળવા માટે આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજને બહેતર બનાવતી પ્રેરણાદાયી જીવન સફરને પ્રદર્શિત કરવી એ હંમેશાં આનંદની વાત હોય છે.

શ્રી મોદીએ X પર લખ્યું;

“આવતીકાલે, 31મી મે સવારે 11 વાગ્યે #MannKiBaat એપિસોડ ચોક્કસ સાંભળો. આપણા સમાજને બહેતર બનાવતી પ્રેરણાદાયી જીવન સફરને પ્રદર્શિત કરવી એ હંમેશાં આનંદની વાત હોય છે.”

SM/NP/JD