Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંજાબના ફિરોઝપુરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલી એક દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી.

શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીને ₹2 લાખની સહાય (એક્સગ્રેશિયા) આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ઈજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. પીએમએનઆરએફ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: પીએમ @narendramodi”

SM/DK/JD