Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોચીશે વૈશાખ નિમિત્તે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોચીશે વૈશાખના ખાસ પ્રસંગે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુરુદેવ ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા જેમણે એક અપવાદરૂપ દાર્શનિક, શિક્ષણશાસ્ત્રી, કલાકાર અને ભારતની સભ્યતા આત્માના કાલાતીત અવાજ તરીકે પણ પોતાની છાપ છોડી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ગુરુદેવ ટાગોરે માનવતાની ઊંડી લાગણીઓ અને ભારતીય સંસ્કૃતિના ઉમદા આદર્શોને અભિવ્યક્તિ આપી. તેમણે ઉમેર્યું કે ગુરુદેવે સમાજને નવા વિચાર, સર્જનાત્મક ઉર્જા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસથી સમૃદ્ધ બનાવ્યો.

શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર ગુરુદેવ ટાગોરને ઊંડા આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરુદેવના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને લોકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

આજે, પોચીશે વૈશાખના ખાસ પ્રસંગે, આપણે ગુરુદેવ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

ગુરુદેવ ટાગોર એક અસાધારણ તેજસ્વી લેખક, વિચારક અને કવિ હતા. તેમણે એક અપવાદરૂપ દાર્શનિક, શિક્ષણશાસ્ત્રી, કલાકાર અને ભારતની સભ્યતા આત્માના કાલાતીત અવાજ તરીકે પોતાની છાપ છોડી હતી. તેમણે માનવતાની ઊંડી લાગણીઓ અને આપણી સંસ્કૃતિના ઉમદા આદર્શોને અભિવ્યક્તિ આપી. તેમણે આપણા સમાજને નવા વિચાર, સર્જનાત્મક ઉર્જા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસથી સમૃદ્ધ બનાવ્યો.

આપણે તેમને ઊંડા આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ. તેમના વિચારો મનને પ્રકાશિત કરતા રહે અને આપણા પ્રયાસોમાં આપણને માર્ગદર્શન આપતા રહે.”

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com