Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રકૃતિના રક્ષણનું મહત્વ દર્શાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ


પ્રધાનમંત્રીએ પ્રકૃતિના રક્ષણનું મહત્વ દર્શાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ અને આદર કરવામાં જ માનવજાતનું કલ્યાણ રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની કાલાતીત પરંપરાઓ પણ આપણને આ ધર્મનિષ્ઠ જીવનશૈલીને જાળવી રાખવા અને કુદરતી વિશ્વ સાથે સદ્ભાવનાથી રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

“लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा। ऋतवः षट् च ते सर्वे मासाः संवत्सराः क्षपाः॥
दिनानि च मुहूर्ताश्च स्वस्ति कुर्वन्तु ते सदा। श्रुतिः स्मृतिश्च धर्मश्च पातु त्वां पुत्र सर्वतः॥

સુભાષિત એવો સંદેશ આપે છે કે પ્રકૃતિ અને ધર્મ સાથે સદ્ભાવનાથી જીવેલું જીવન જ સુખ, સુરક્ષા અને કલ્યાણનો પાયો છે. તેથી, દિશાઓના રક્ષકો, ઇન્દ્રની આગેવાની હેઠળના મુખ્ય દેવતાઓ, છ ઋતુઓ, તમામ મહિનાઓ, વર્ષો, રાતો, દિવસો અને શુભ મુહૂર્તો હંમેશા આશીર્વાદ અને સમૃદ્ધિ લાવે. વેદ, પવિત્ર પરંપરાઓ અને ધર્મ પણ દરેક સમયે અને દરેક રીતે સૌનું રક્ષણ કરે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“प्रकृति के संरक्षण और सम्मान में ही मानवता का कल्याण निहित है। हमारी परंपरा भी हमें इसी धर्मसम्मत आचरण की प्रेरणा देती है।
लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा। ऋतवः षट् च ते सर्वे मासाः संवत्सराः क्षपाः॥
दिनानि च मुहूर्ताश्च स्वस्ति कुर्वन्तु ते सदा। श्रुतिः स्मृतिश्च धर्मश्च पातु त्वां पुत्र सर्वतः॥”

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]