Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસ ભારતની સ્વતંત્રતા, બંધારણ અને લોકશાહી મૂલ્યોનું એક શક્તિશાળી પ્રતીક છે. તેમણે નોંધ્યું કે આ પ્રસંગ રાષ્ટ્રને નવી ઉર્જા અને રાષ્ટ્રનિર્માણ તરફ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

पारतन्त्र्याभिभूतस्य देशस्याभ्युदयः कुतः।

अतः स्वातन्त्र्यमाप्तव्यमैक्यं स्वातन्त्र्यसाधनम्॥

સુભાષિત દર્શાવે છે કે જે રાષ્ટ્ર આશ્રિત છે અથવા પરાધીન છે તે પ્રગતિ કરી શકતો નથી. તેથી, સ્વતંત્રતા અને એકતાને આપણા માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે અપનાવીને જ રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“પ્રજાસત્તાક દિવસ આપણી સ્વતંત્રતા, બંધારણ અને લોકશાહી મૂલ્યોનું શક્તિશાળી પ્રતીક છે. આ તહેવાર આપણને એક થવા અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આગળ વધવા માટે નવી ઉર્જા અને પ્રેરણા આપે છે.

पारतन्त्र्याभिभूतस्य देशस्याभ्युदयः कुतः।

अतः स्वातन्त्र्यमाप्तव्यमैक्यं स्वातन्त्र्यसाधनम्॥

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com