Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; તાત્કાલિક રૂ. 500 કરોડની સહાય જાહેર કરી

પ્રધાનમંત્રીએ બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; તાત્કાલિક રૂ. 500 કરોડની સહાય જાહેર કરી

પ્રધાનમંત્રીએ બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; તાત્કાલિક રૂ. 500 કરોડની સહાય જાહેર કરી

પ્રધાનમંત્રીએ બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; તાત્કાલિક રૂ. 500 કરોડની સહાય જાહેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પૂર્ણિયામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી શ્રી સુશિલકુમાર મોદી અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત, પુનર્ગઠન અને વળતરના પગલાંઓની વિગતવાર સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેમણે રૂ. 500 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ટુકડી રાજ્યની મુલાકાત લેશે તથા નુકસાન અને રાહતની આકારણી કરશે. તેમણે સૂચના આપી હતી કે, વીમાકંપનીઓએ પાક વીમા સાથે સંબંધિત ખેડૂતોના દાવાઓની આકારણી કરવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી નિરીક્ષકો મોકલવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેમને રાહત પ્રદાન કરવી જોઈએ.

તેમણે પૂરને કારણે નુકસાન પામેલા માર્ગોના સમારકામ માટે અસરકારક પગલાં લેવા માર્ગ અને સર્ફેસ પરિવહન મંત્રાલયને સૂચના પણ આપી હતી. કેન્દ્ર સરકાર પૂરને કારણે અસર પામેલ વીજ માળખાને વહેલાસર પુનર્સ્થાપિત કરવા રાજ્ય સરકારને શક્ય તમામ સહાય પણ પ્રદાન કરશે.

જ્યારે રૂ. 2 લાખના મૂલ્યની નાણાકીય સહાય દરેક મૃતકના પરિવારને પ્રદાન કરવામાં આવશે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂ. 50,000ની સહાય પ્રદાન કરવામાં આવશે.

દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી શ્રી શેરબહાદુર દેઉબા સપ્તકોસી હાઈ ડેમ પ્રોજેક્ટ અને સનકોસી સ્ટોરેજ કમ ડાઇવર્ઝન સ્કીમ પર વહેલામાં વહેલી તકે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સમંત થયા હતાં. વળી બંને દેશો પાણી ભરાઈ જતાં વિસ્તારોમાં સંકલન વધારવા અને પૂર નિયંત્રણ માટે પણ સંમત થયા છે. તેનાથી સંપૂર્ણ પ્રદેશમાં પૂર નિયંત્રણનાં પગલાને પ્રોત્સાહન મળશે.

TR