Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહાર દિવસની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહાર દિવસ નિમિત્તે બિહારના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારે લાંબા સમયથી ભારતીય વારસામાં ભવ્યતા અને દિવ્યતાનું યોગદાન આપ્યું છે. રાજ્ય હાલમાં દરરોજ પ્રગતિના નવા અધ્યાય લખી રહ્યું છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહારના મહેનતુ અને ઉર્જાવાન લોકોનું સમર્પણ અને ક્ષમતા ‘વિકસિત ભારત’ તેમજ ‘વિકસિત બિહાર’ના સંકલ્પને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“બિહાર દિવસ નિમિત્તે રાજ્યમાં રહેતા મારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય વારસાને ભવ્યતા અને દિવ્યતા આપનાર આપણું આ રાજ્ય આજે પ્રગતિના નવા અધ્યાય રચવામાં વ્યસ્ત છે. મને વિશ્વાસ છે કે અહીંના મહેનતુ અને ઉર્જાવાન લોકોનું સમર્પણ અને શક્તિ વિકસિત બિહારની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ખૂબ મદદરૂપ થશે.”

SM/NK.GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]