Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરારને દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે કે ભારતયુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર 15 જુલાઈ 2026ના રોજ અમલમાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ આપશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ કરાર ભારતીય ખેડૂતો, શ્રમિકો, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ માટે અસંખ્ય તકો ખોલશે અને વિકસિત ભારત 2047ની અનુભૂતિમાં સાર્થક યોગદાન આપશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેઓ પોતે અને યુકેના પ્રધાનમંત્રી કીથ સ્ટાર્મર, જેઓ G7 સમિટ માટે એવિયનમાં છે, બંને ભારતયુકે આર્થિક સંબંધોમાં ઉમેરાઈ રહેલી નોંધપાત્ર ગતિથી ખૂબ જ ખુશ છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું; “

ભારતયુકે સંબંધો માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન. એ નોંધતા આનંદ થાય છે કે ભારતયુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર 15 જુલાઈ 2026ના રોજ અમલમાં આવશે. આ કરાર આપણા દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ આપશે.

તે ભારતીય ખેડૂતો, શ્રમિકો, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા લાવનારાઓ માટે અસંખ્ય તકો પણ ખોલશે અને વિકસિત ભારત 2047ની અનુભૂતિમાં સાર્થક યોગદાન આપશે.

પીએમ સ્ટાર્મર અને હું, જેઓ G7 સમિટ માટે એવિયનમાં છીએ, બંને સ્વાભાવિક રીતે જ આપણા આર્થિક સંબંધોમાં ઉમેરાઈ રહેલી નોંધપાત્ર ગતિથી ખૂબ જ ખુશ છીએ.

@Keir_Starmer”

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]