Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહર્ષિ પતંજલિનું સન્માન કરતા અને યોગના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ પતંજલિને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું અને યોગના ગહન લાભો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતુંશ્રી મોદીએ અવલોકન કર્યું કે યોગનો નિયમિત અભ્યાસ શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે  અને નોંધ્યું કે તેને દૈનિક દિનચર્યાનો એક ભાગ બનાવવાથી જીવન સંતુલિત અને ઊર્જાવાન બને છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

યોગનો નિયમિત અભ્યાસ શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે. તેને તમારી દિનચર્યાનો ભાગ બનાવવાથી જીવન સંતુલિત અને ઉર્જાવાન બને છે.”

योगेन चित्तस्य पदेन वाचां

मलं शरीरस्य  वैद्यकेन।

योऽपाकरोत् तं परवरं मुनीनां

पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥”

હું ચિંતનશીલ ઋષિઓમાં સૌથી શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને બે હાથ જોડીને પ્રણામ કરું છું, જેમણે યોગ દ્વારા ચિત્તની (મનની) અશુદ્ધિને, વ્યાકરણ દ્વારા વાણીની અશુદ્ધિને અને આયુર્વેદ દ્વારા શરીરની અશુદ્ધિને દૂર કરી છે.

 

SM/IJ/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com