Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાર દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે શુભેચ્છા. આ દિવસ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાની આપણી પ્રતિબદ્ધતાને દૃઢ કરવાનો છે. આપનું આ કર્મ નવા ભારતના નિર્માણ માટેનો લાંબો રસ્તો નક્કી કરશે.

હું દરેક લોકોને વિનંતી કરું છે કે તેઓ મતદાન નોંધણી કરવાની બાબતે જાગૃતિ ફેલાવવા માટે આગળ આવે અને ખાસ કરીને મારા યુવા મિત્રોને આગ્રહ કરું છું કે, જેમણે પહેલાથી પોતાની મતદાતા તરીકે નોંધણી નથી કરાવી તેઓ પોતાની નોંધણી કરાવી લે. દરેક મત આપણી લોકશાહીને મજબૂત કરે છે.”

***

NP/GP/RP