પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની લેહ, જમ્મુ અને શ્રીનગરની એક દિવસીય મુલાકાતનાં પ્રથમ ચરણમાં લદાખ આવ્યા હતા. તેમણે અહિં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન/શિલાન્યાસ કર્યા હતા.
કડકડતી ઠંડીમાં પણ ઉપસ્થિત લોકોની હિમ્મતની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે લોકો મુશ્કેલ સ્થિતિમાં જીવે છે, તેઓ દરેક પડકાર ઝીલી શકે છે. તમારો પ્રેમ જ મને મહેતન કરવા માટે પ્રેરિત કરે છે.”
તેમણે લદાખ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે, “લદાખમાં યુવાન વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વસતિમાં 40 ટકા છે. આ વિસ્તાર માટે લાંબા સમયથી યુનિવર્સિટીની માગ થતી હતી. લદાખ યુનિવર્સિટી લોંચ થવાની સાથે આ માગ પૂર્ણ થશે.” આ લેહ, કારગીલ, નુબ્રા, ઝાંસ્કર, દ્રાસ અને ખાલ્તસીની ડિગ્રી કોલેજો ધરાવતી યુનિવર્સિટી બનશે. આ યુનિવર્સિટીની વહીવટી ઓફિસો લેહ અને કારગીલમાં સ્થિત હશે.
પ્રધાનમંત્રીએ 9 મેગાવોટ દાહ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાન દાતાંગ ગામ નજીક દાહમાં કર્યું હતું અને 220 કેવીની શ્રીનગર-અલસ્ટેંગ-દ્રાસ-કારગિલ-લેહ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે વિલંબ કરવાની કાર્યશૈલી પાછળ મૂકી દીધી છે.” તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર સુનિશ્ચિત કરશે કે તેમણે શિલારોપણ કરેલા તમામ પ્રોજેક્ટનું ઉદઘાટન તેઓ જ કરશે.
લદાખમાં આજે પાંચ નવા ટૂરિસ્ટ અને ટ્રેકિંગ રુટ ખુલ્યાં હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, એક વાર આ શહેર સારી રીતે જોડાઈ જશે, પછી જીવન વધારે સરળ, વાજબી બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, એક વાર બિલાસપુર-મનાલી-લેહ રેલવે લાઇન સંપૂર્ણ થઈ જાય, પછી દિલ્હીથી લેહ વચ્ચેનું અંતર ઘટી જશે.
પ્રધાનમંત્રીએ લેહમાં કુશોક બકુલા રિમ્પોચી (કેબીઆર) એરપોર્ટનાં નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ દર્શાવતી તકતીનંત અનાવરણ કર્યું હતું. નવું ટર્મિનલ તમામ આધુનિક સુવિધાઓ સાથે યાત્રીકોને અવિરત અવરજવરની સુવિધા પ્રદાન કરશે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ વીજળીની શ્રેષ્ઠ ઉપલબ્ધતા આપશે, જોડાણમાં વધારો કરશે એટલે આ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસીઓનું આગમન વધશે અને પર્યટન ક્ષેત્રને વેગ મળશે. એનાથી ઘણા ગામડાઓમાં આજીવિકાની વધારે સારી તકો પણ ઊભી થશે.
ઉપરાંત પ્રોટેક્ટેડ એરિયા પરમિટની વેલિડિટી વધારીને 15 દિવસ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ લાંબા સમય સુધી લેહનો પ્રવાહ કરી શકશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એલએએચડીસી ધારામાં થોડાં ફેરફારો કર્યા છે અને કાઉન્સિલને ખર્ચ સાથે સંબંધિત વધારે અધિકારો આપવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે સ્વાયત્ત પરિષદ વિસ્તારનાં વિકાસ માટે નાણાં મોકલશે.
વચગાળાનાં બજેટ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ માટે ફાળવણીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને દલિતોનાં વિકાસ માટે આશરે 35 ટકા વધારે ફાળવણી કરવામાં આવી છે.
***
RP
आप जिन मुश्किल परिस्थितियों में रहते हैं, हर कठिनाई को चुनौती देते हैं, वो मेरे लिए बहुत बड़ी प्रेरणा होती है कि आप सभी के लिए और डटकर काम करना है, जो स्नेह आप मुझे देते हैं, वो ब्याज समेत विकास करके लौटाना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 3, 2019
आज जिन परियोजनाओं का लोकार्पण, उद्घाटन और शिलान्यास किया गया है उनसे बिजली
— PMO India (@PMOIndia) February 3, 2019
के साथ-साथ लेह-लद्दाख की देश और दुनिया के दूसरे शहरों से कनेक्टिविटी सुधरेगी, पर्यटन बढ़ेगा, रोज़गार के अवसर बढ़ेंगे और यहां के युवाओं को पढ़ाई के लिए यहीं पर अच्छी सुविधाएं भी मिलेंगी: PM @narendramodi
लेह, लद्दाख का इलाका तो अध्यात्म, कला-संस्कृति, प्राकृतिक सुंदरता और एडवेंचर स्पोर्ट्स के लिए दुनिया का एक महत्वपूर्ण स्थान है।
— PMO India (@PMOIndia) February 3, 2019
यहां टूरिज्म के विकास के लिए एक और कदम सरकार ने उठाया है।
आज यहां 5 नए ट्रैकिंग रूट को खोलने का फैसला लिया गया है: PM @narendramodi
लद्दाख में कुल आबादी का 40 प्रतिशत हिस्सा युवा विद्यार्थी हैं।
— PMO India (@PMOIndia) February 3, 2019
आप सभी की लंबे समय से यहां यूनिवर्सिटी की मांग रही है। आज आपकी ये मांग भी पूरी हुई है।
इसके लिए भी आप सभी को बहुत-बहुत बधाई और शुभकामनाएं: PM @narendramodi
आज इस क्लस्टर यूनीवर्सिटी को लॉन्च किया गया है।
— PMO India (@PMOIndia) February 3, 2019
इसमें नूबरा, लेह, जंसकार, और कारगिल में चल रहे डिग्री कालेजों के संसाधनों का उपयोग किया जाएगा।
छात्रों की सुविधा के लिए लेह और कारगिल में भी इसके प्रशासनिक दफ्तर रहेंगे: PM @narendramodi
इस बजट में सरकार ने घुमंतु समुदायों के लिए भी एक बहुत बड़ा फैसला किया है।
— PMO India (@PMOIndia) February 3, 2019
इन लोगों तक सरकार की योजनाओं का लाभ पहुंचाना भी बहुत मुश्किल होता है।
अब इन लोगों के लिए सरकार ने वेलफेयर डवलपमेंट बोर्ड बनाने का फैसला किया है ताकि सरकार के विकास कार्यों का लाभ इन तक तेजी से पहुंचे: PM
लेह-लद्दाख-कारगिल भारत का शीर्ष है, हमारा मस्तक है।
— PMO India (@PMOIndia) February 3, 2019
मां भारती का ये ताज हमारा गौरव है।
बीते साढ़े 4 वर्षों से ये क्षेत्र हमारी विकास की प्राथमिकताओं का केंद्र रहा है: PM
मुझे खुशी है कि लद्दाख ऑटोनॉमस हिल डेवलपमेंट काउंसिल एक्ट में बदलाव किया गया है और काउंसिल को खर्च से जुड़े मामलों में अब ज्यादा अधिकार दिए गए हैं।
— PMO India (@PMOIndia) February 3, 2019
अब क्षेत्र के विकास के लिए आने वाले पैसे यहां की ऑटोनॉमस काउंसिल ही जारी करती है: PM
काउंसिल के अधिकारों के दायरे और फैसले लेने की शक्ति को भी बढ़ाया गया है।
— PMO India (@PMOIndia) February 3, 2019
इससे यहां के महत्वपूर्ण विषयों को ज्यादा तेज़ी से और ज्यादा संवेदनशीलता से सुलझाया जा सकता है: PM
अब आपको अपनी जरूरतों के लिए बार-बार श्रीनगर और जम्मू नहीं जाना होगा, बल्कि ज्यादातर काम यहीं लेह और लद्दाख में ही पूरे हो जाएंगे: PM
— PMO India (@PMOIndia) February 3, 2019