Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વડનગરની મુલાકાત લીધી, સઘન મિશન ઇન્દ્રધનુષનો શુભારંભ કરાવ્યો અને જનસભાને સંબોધિત કરી

પ્રધાનમંત્રીએ વડનગરની મુલાકાત લીધી, સઘન મિશન ઇન્દ્રધનુષનો શુભારંભ કરાવ્યો અને જનસભાને સંબોધિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં વતન વડનગરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યાં પછી તેમની તેમનાં વતનની આ સૌપ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રીને આવકારવા નગરજનો શેરીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. પ્રધાનમંત્રીએ નગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ એ શાળામાં પણ ગયા હતાં, જ્યાં તેમણે બાળપણમાં શિક્ષણ મેળવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, વડનગરની મુલાકાત પણ લીધી હતી અને તેને સમર્પિત કરવાની તકતીનું અનાવરણ પણ કર્યું હતું. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

દરમિયાન પ્રધાનમંત્રીએ નગરમાં આયોજિત એક જનસભામાં સંપૂર્ણ રસીકરણનાં લક્ષ્યાંક તરફ પ્રગતિ કરવા સઘન મિશન ઇન્દ્રધનુષ લોંચ કર્યું હતું. તેમાં રસીકરણનું ઓછું કવરેજ ધરાવતા શહેરી વિસ્તારો અને અન્ય વિસ્તારોને આવરી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આશા કાર્યકરોની કામગીરી સુધારવા નવીન મોબાઇલ ફોન એપ્લિકેશન આઇએમટેકો લોંચ કરી હતી અને આરોગ્ય કાર્યકર્તાઓને ઇ-ટેબ્લેટનું વિતરણ કર્યું હતું. તેમણે કેટલાંક વિકાસલક્ષી કાર્યો પણ લોંચ કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ જનસભામાં એકત્ર થયેલા ઉત્સાહી નગરજનોને કહ્યું હતું કે, પોતાનાં વતનમાં આવવું અને ઉષ્માસભર આવકાર મેળવવો વિશેષ છે. આજે હું જે કંઈ પણ છું એ ભૂમિએ શીખવેલા મૂલ્યોને કારણે છું.
પ્રધાનમંત્રીએ વડનગરનાં લોકોને જણાવ્યું હતું કે, હું તમારાં આશીર્વાદ લઈને પરત જઈશ અને તમને ખાતરી આપું છું કે હું રાષ્ટ્રસેવા કરવા વધારે મહેનત કરીશ.

પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, તેમને આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ, ખાસ કરીને સઘન મિશન ઇન્દ્રધનુષ, લોંચ કરવાની તક મળી છે. સરકારે સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યો એનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર ગરીબો માટે હેલ્થકેરને વાજબી બનાવવા સતત કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, એક સમાજ તરીકે આપણે લોકોની સેવા કરી શકે તેવા વધારે ડૉક્ટરની જરૂર છે.

***

J.Khunt