Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાણસી સંસદીય મતવિસ્તારના સરપંચો સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ વારાણસી સંસદીય મતવિસ્તારના સરપંચો સાથે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી સરપંચોને આવકાર્યા હતા. વારાણસી સંસદીય મતવિસ્તારમાંથી પ્રધાનમંત્રીને મળવા આવેલું આ પ્રકારનું ત્રીજું જૂથ હતું.

તેમની સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીએ સરપંચોને સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે તેમના ગામોના લોકોને જણાવવા પ્રોત્સાહન આપ્યું હતું.

TR