Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ વાઘ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી, વાઘ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વાઘ દિવસ પર તમામ વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક વાઘ વસ્તીના લગભગ 70 ટકા જેટલા વાઘનું ઘર છે તે વાત પર ભારતના લોકોને ગર્વ છે.

તેમણે નોંધ્યું હતું કે ભારતના વાઘ સંરક્ષણના પ્રયાસો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની દેશની સદીઓ જૂની સંસ્કૃતિથી પ્રેરિત છે અને તેના લોકોની સામૂહિક ઈચ્છાશક્તિ દ્વારા સંચાલિત છે.

શ્રી મોદીએ વિજ્ઞાનઆધારિત સંરક્ષણ, સમુદાયની ભાગીદારી અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી જે વાઘ સંરક્ષણને મજબૂત બનાવે છે.

શ્રી મોદીએ વાઘના રક્ષણમાં તેમની મુખ્ય ભૂમિકા માટે વન કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓના પ્રયાસો અને સમર્પણની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા અને માનવવન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.

X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

વિશ્વ વાઘ દિવસ નિમિત્તે તમામ વન્યજીવન પ્રેમીઓને શુભેચ્છાઓ. ભારતના લોકો માટે ગૌરવની વાત છે કે વિશ્વની કુલ વાઘ વસ્તીના લગભગ 70 ટકા વાઘોનું નિવાસસ્થાન આપણો દેશ છે. ભારતમાં વાઘ સંરક્ષણના પ્રયાસો પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિથી પ્રેરિત છે અને આપણા લોકોના સામૂહિક સંકલ્પથી શક્તિ મેળવે છે. અમે વિજ્ઞાન આધારિત સંરક્ષણ, જનભાગીદારી અને વાઘ સંરક્ષણને વધુ મજબૂત બનાવતા ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પણ પુનરોચ્ચાર કરીએ છીએ.”

આપણા વન કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓના પ્રયાસો અને સમર્પણએ પણ વાઘના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે જ ભાવના સાથે, ભારત સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા અને માનવવન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]