Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શક્તિ અને સામર્થ્યના સંવાદ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મે 1998માં પોખરણમાં ભારત દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક પરમાણુ પરીક્ષણોને યાદ કર્યા હતા અને તેને આપણા રાષ્ટ્રના સંકલ્પની એક નિર્ણાયક ક્ષણ ગણાવી હતી. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “11 મેના પરીક્ષણો પછી, આખા વિશ્વએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે સાબિત કરી દીધું કે કોઈ પણ શક્તિ ભારતને નમાવી શકતી નથી”.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો-

“एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।

न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“1998માં આજના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ દુનિયાને બતાવ્યું કે આપણા રાષ્ટ્રનો સંકલ્પ કેટલો અડગ છે! 11 મેના પરીક્ષણો પછી, ભારત પર વૈશ્વિક દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે દર્શાવ્યું કે કોઈ પણ શક્તિ ભારતને ઝુકાવી કરી શકતી નથી.

एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।

न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]