Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી આનંદશંકર પંડ્યાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા લેખક અને સાર્વજનિક બુદ્ધિજીવી શ્રી આનંદશંકર પંડ્યાજીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ટ્વિટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “શ્રી આનંદ શંકર પંડ્યાજી એક પ્રખર લેખક અને સાર્વજનિક બુદ્ધિજીવી હતા જેમણે ઇતિહાસ, જાહેર નીતિ અને આધ્યાત્મિકતા પર વિસ્તૃત રીતે લખ્યું હતું. તેઓ ભારતના વિકાસ માટે ઉત્સાહી હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં સક્રિય હતા અને સમાજ સેવા માટે નિઃસ્વાર્થપણે કામ કરતા હતા. તેમના નિધનથી દુઃખી છું.

મારું મન શ્રી આનંદ શંકર પંડ્યાજી સાથેની ઘણી બધી વાતચીતો તરફ વળે છે. મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મુદ્દાઓ પર આંતરદૃષ્ટિ સાથેની તેમની ક્રિયા પ્રતિક્રિયાના કેટલાક ટુચકાઓ તેમની પાસેથી સાંભળીને આનંદ થયો. તેમના પરિવાર સાથે વાત કરી અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.”

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]